Dec 2, 2014

કમરના દુખાવા પાછળ ઘણીબધી બાબતો કારણભૂત હોય છે

  કમરના દુખાવા પાછળ ઘણીબધી બાબતો કારણભૂત હોય છે. તેના પાછળ તમારી ખરાબ આદતો પણ જવાબદાર હોઇ શકે છે. વધારે પડતા કામ, બેસવા-ઉઠવામાં સરખુ ધ્યાન ના રાખવું, કમરના દુખાવાને જડમૂળમાંથી મટાડવા માટે કેટલાક ઘરઘથ્થુ નૂસખા આપવામાં આવ્યા છે.

  • અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે.
  • સૂંઠ અને ગોરખું સરખે ભાગે લઈ તેને ઉકાળો બનાવો, દરરોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.
  • ખજૂરની પાંચ પેશીનો ઉકાળો તૈયાર કરી તેમાં ૨ ચમચી જેટલી મેથી ઉમેરી પીઓ કમરનાં દુખાવામાં રાહત રહેશે.
  • સૂંઠ અને હિંગ નાંખીને તેલ કરમ કરી માલિશ કરો, કમરનાં દુખાવામાં ફાયદો થશે.
  • જાયફળને સરસિયાનાં તેલમાં ઘસી કમર પર માલિશ કરો તેનાંથી કમરનો તેમજ જો સંધિવાનો દુખાવ હશે તો તે પણ મટે છે.
  • સુંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેની માલીસ કરવાથી કમરના દુખાવાથી આરામ મળે છે.
તો શું ખાવું? શું ન ખાવું? અને શું ન કરવું જોઇએ એ અંગે થોડું જાણીએ.

શું ન ખાવું?: કમરના દુખાવાને દૂર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રિંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. તેલ, મસાલા, અથાણાં ન ખાવા જોઇએ.
શું ન કરવું?: ઉજાગરા ન કરવા જોઇએ. મળ-મૂત્ર-સ્વેદ-છીંક વગેરેના વેગોને રોકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. કબજિયાત ન થવા દેવી, ચિંતા-ભય-ક્રોધથી બચવાના પ્રયત્નો કરવા જોઇએ.
શું ખાવું?: સાદો-સુપાચ્ય આહાર લેવો.વાસી ખોરાક ન લેવો, લસણ, હિંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દૂર કરે તેવો આહાર લેવો. વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથી કમરનો દુખાવો થાય છે. તેમાંથી છુટકારો મેળવવાના ઇલાજને કટિબસ્તિ કહે છે.