પથરી આપણા
શરીરમાં આપમેળે જ બનવી શરૂ થાય
છે. એના બનવાની કોઈ ચોક્કસ વય નથી હોતી. પ્રથમ એ નાના-નાના રૂપમાં રહે છે
પછી જ્યારે તે મોટી થઈ જાય તો એના
દુ:ખાવાને સહન કરવુ મુશ્કેલ થઈ જાય છે. પથરી આપણા શરીરમાં આપમેળે જ બને
છે. જેમ કે પિત્તની પથરી ,ગુર્દાની પથરી અને કોઈ પણ જ્ગ્યાએ પહેલા નાની
પછી મોટી થવા માંડે છે. થોડા ઘરેળુ ઉપાયની સહાયતાથી તમે આ પથરીના દુખાવામાં
રાહત મેળવી શકો છો.
* પથરી થતાં નારિયેળ પાણી પીવાથી ફાયદો થાય છે.
* આમળાનો પાવડર તૈયાર કરી મૂળા સાથે સેવન કરવાથી પથરીથી રાહત મેળવી શકો છો.
* જીરા અને ખાંડને વાટી આ મિશ્રણનું સેવન ઠંડા પાણીથી કરવાથી પથરીથી રાહત મેળવી શકો છો. * કેરીના પાંદડાને સુકાવી તેને સારી રીતે વાટી રોજ એનુ સેવન કરવાથી લાભ મળે છે.
* પથરી થતાં ચા અને કૉફીનું સેવન વધારે ન કરવુ જોઈએ. દુખાવો વધારે થાય છે.
* તુલસીના બીજા અને દૂધનું સેવન કરવાથી પથરીથી રાહત મળી શકે છે.
* તુલસીના પાંદડાને દરરોજ ચાવવાથી પણ રાહત મળે છે.
* ડુંગળીનું સેવન કરવાથી કિડનીની પથરીથી રાહત મળે છે અને શક્ય હોય તો ડુંગળીના તાજા રસનું સેવન કરવાથી કિડનીની પથરી માટે ખૂબજ લાભદાયક સિદ્ધ થાય છે.
- દ્રાક્ષનું સેવન કરવાથી કિડનીની પથરીથી રાહત મળી શકે છે