Sep 29, 2014

નરેન્દ્રભાઇ મોદીની યુ.એસ.એ.માં સ્પીચ (Modi Speech in Madison square USA )

Narendra Modi સ્વપ્નાનાં ભારતનું નિર્માણ કરીને તમારું રૂણ ચૂકવીશઃમોદી



ન્યૂયોર્ક, 28 સપ્ટેમ્બર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકામાં હજારો લાકો સાથે રૂબરુ થયા હતા. નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે અમેરિકાના વિવિધ વિસ્તારોમાંથી લોકો અમેરિકા પહોંચી ગયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારની સાંજે હજારો અમેરિકી ભારતીઓનું સંબોધન કર્યું હતું. મોદીનું ભાષણ સાંભળવા માટે અમેરિકાના સિનેટર અને ઓદ્યોગપતિની ટીમ પણ મેડિસન સ્ક્વેર પહોંચી ગઈ હતી..

 સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વિચારો દર્શાવ્યા પછી હવે નરેન્દ્ર મોદી સ્કેવયર ગાર્ડનમાં પહોંચી ગયા હતા. અહિં તેઓ સૌ પ્રથમ હજારો ભારતીયો સાથે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને ત્યાર પછી અહિં મોદી ભાષણ સંબોધન શરૂઆત કરી હતી

નરેન્દ્ર મોદીના ભાષણની હાઇલાઇટ્સ


  • મોદી...મોદી....મોદી....મોદી....નો નાદ ગુંજતો રહ્યો હતો
  • સ્વપ્નોના ભારતનું નિર્માણ કરીનેે આ રૂણ ચુકવીસ
  • એમેરિકન ટુરિસ્ટને મળશે આજીવન વિઝા
  • OCI  અને PIO એક કરી દેવામાં આવશે
  • PIO કાર્ડ હોલ્ડને આજીવન ભારતીય વિઝા આપવમાં આવશે
  • આ વખતે પ્રવાસી ભારતીય દિવસ અમદાવાદમાં મનાવવામાં આવશે.
  • સવા સો કરોડ લોકો નક્કી કરે કે હું ગંદીક નહી કરું તો દેશ ચોખ્ખો થઇ શજે
  • ગાંધીજીના 150 જન્મ જયંતિ ઉપર દરેક દેશ વાસીયો સફાઇનો સંકલ્પ કરશે, દેશને ગંદકીથી આઝાદી આપીશું.
  • મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી છે, આપણે તેમને શું આપ્યું?
  • ગંગા સફાઇ એક અભિયાન નથી એક આર્થિક અભિયાન પણ છે
  • હું નાનો છું માટે જ નાના નાના  લોકો માટે મોટા મોટા કામ કરું છું. 
  • ગંગા સફાઇનું પણ કર્યો ઉલ્લેખ અને લોકો પાસે માંગી મદદ
  • હું ચા વેચતા વેચતા વડાપ્રધાન બન્યો છું, દર્શકોએ આપ્યું ઉભા થઇને અભિવાદન
  • સફાઇ અભિયાનનો પણ કર્યો ઉલ્લેખ
  • સરકારી ઓફિસર સમસય ઓફિસ જશે એ સમાચાર મને પીડા આપતા હતા
  • રોજના એક નકામો કાયદો ખતમ કરી શકું તો મને એનો ગર્વ થશે
  • જુના અને નકામા કાયદાઓને ખતમ કરવાની શરૂઆત કરી
  • કોંગ્રેસ ઉપર સાધ્યું નિશાન
  • ભારતમાં રોકણકારોને ધક્કા ખાવા પડતા હતા, હવે એવું નહિં થાય, બધુજ ‘ઓન લાઇન’
  • ‘મેક ઇન’ ઇન્ડિયાનો કર્યો ઉલ્લેખ
  • પ્રધાન મંત્રી જનધન યોજનની શરૂઆત કરી
  • મોદીએ 0 બેલેન્સ ખાતું ખોલવામાં આવશે, પરંતુ દેશવાસીઓએ બેન્કમાં 1500 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે
  • બોલિવૂડની ફિલ્મનાં બજેટ કરતાં ઓછા બજેટમાં મંગળ ઉપર પહોંચ્યા
  • અમેરિકા 22નાં પહોંચ્યો અને ભારત 24નાં મંગળ ઉપર પહોંચ્યો
  • હિન્દુસ્તાન પહેલો દેશ છે જે પહેલા ટ્રાયમાં જ મંઘળ ઉપર પહોંચ્યા છે
  • મંગળ ઉપર પહોંચવા માટે કિલો મીટરના 7 રૂપિયા થયા છે
  •  સૌથી સસ્તી મંગળ યાત્રા સફળ બનાવી છે
  • આઝાદીનું આંદલોન હતું એવી જ રીતે વિકાસ માટે જન આંદોલન થવું જરૂરી છે
  • દેશવાસીયોમાં જન આંદોલનનો મહોલ જગાળવાનો છે.
  • દરેક યુગમાં મહાન પુરુષોએ બલિદાન આપ્યા છે
  • મહાત્મા ગાંધીને પણ યાદ કરતાં, આઝાદીના ઉદાહરણો આપ્યા હતાં
  • ભગત સિંહને યાદ કર્યા હતા
  • દેશ માટે કોઇને કોઇ ગુરુએ પોતાનું બલિદાન આપ્યું છે
  • સવા સો કરોડ લોકો અને સરકાર મળીને વિકાસ કરવામાં આવશે.
  • દેશને પ્રગતિ કરવી  હશે તો સારી સરકાર બને.
  • વિઝાની વાત કરીને કટાક્ષ કર્યો હતો
  • ભારતનું લોકશાહી તંત્ર જુનું અને  મોટું છે
  • દુનિયાના દરેક ખૂણામાં ભારતીયો વસ્યા છે અને અમેરિકાના દરેક શહેરમાં દુનિયાના લોકો વસ્યા છે.
  • લોકશાહી, યુવા શક્તિ, ડિમાન્ડ ધરાવતો માત્ર એક જ દેશ છે
  • સવા સો કરોડ જનતાનો આશીર્વાદ એટલે ભગવાનનો આશીર્વાદ કહેવામા આવે છે
  • ભારતની પાસે ત્રણ એવી વસ્તુ છે જે બીજા કોઇ પાસે નથી..
  • જે દેશને પોતાના યુવાનોનું સમાર્થય હોય એ દેશને પાછળ વળીને જોવાની જરૂર નથી
  • દુનિયાનો સૌથી યુવાન દેશ છે, 65 ટકા લોકો 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો છે
  • 21મી સદી એશિયાની અને હિન્દુસ્તાની સદી છે
  • ભાજપની સરકાની પસંદગી યોગ્ય છે
  •  જેને હિન્દુસ્તાન આવવું હોય આવી જાય
  •  અમેરિકામાં વર્ષોથી રહેનારને પણ એવું લાગતું હશે કે એક પગતો હિન્દુસ્તાનમાં હોવો જાઇએ
  • હું એવું કશું નહિં કરું જેથી તમારે નીચું જોવાનો વારો આવે
  • આ પદ ઉપર આવ્યા પછી 15 મિનિટ પણ વેકેશન લીધું નથી
  •  ચૂંટણી જિતવી એક જવાબદારી છે,
  • ભારતના ગામડાઓમાં રહેનારે ઓપિનિયન મેકરો ઓપિનિયમ બનાવી દીધો
  • ભારતની ચૂંટણીના પરિણામો કોઇને સમજાતા નહોત
  • 30 વર્ષ પછી પહેલી વખત પૂર્ણબહુમત સરકાર બનાવી છે
  • દુનિયાભરમાં ગુજરાતી સમાજ ફેલાયેલો છે, અહીયથી ઘણા લોકો ચૂંટણીમાં આવ્યા હતા તે તમામને આભાર
  • જેમણે ચૂંટણીમાં મતદાન  કરવાનો અવસર નથી મળ્યો તે પરિણામોથી આનંદ અનુભવ્યો હશ.
  • અમારા પૂર્વજો સાપ સાથે રમતા હતા, પરંતુ હવે અમે માઉસ સાથે રમીયે છીએ
  • ભારતમાં કાળુ જાદુ થાય છે?
  • અમેરિકાના યુવાઓનો માન્યો આભાર,ભારતના વિકાસમાં તેમનો મોટો ફોળો છે
  • ભારત સાપ સપેરાઓનો દેશ માનવામાં આવતો હતો
  • નવરાત્રીની શુભકામનાઓ આપી નરેન્દ્ર મોદીએ
  • નવરાત્રિના અવસર ઉપર તમને મળવાનો અવસર મળ્યો  જેનો મને આનંદ છે
  • ભારતના લોકોને પણ કર્યો વંદન
  • અમેરિકન ભાઇ બહેનોને કર્યો વંદન
  • ભારત માતની જય જય કારથી મોદીએ કરી ભાષણની શરૂઆત
  • ભારતીય રાષ્ટ્રીય ગીતથી કરાઇ શરૂઆત
  • અજીબો શાન શહેનશાહસોન્ગથી થઇ નરેન્દ્ર મોદીની એન્ટ્રી
    મેડિસન સ્કવેર ગાર્ડનની બહાર નરેન્દ્ર મોદીનો વિરોધ, જુઓ તસવીરો
    મેડિસન સ્કવેર ગાર્ડનની બહાર નરેન્દ્ર મોદીનો વિરોધ, જુઓ તસવીરો કેટલાક લોકોએ હાથમાં મોદી વિરોધી સુત્રો લખેલા પ્લેકાર્ડ અને બેનર્સ સાથે વિરોધ નોંધાવ્યો
    મેડિસન સ્કવેરમાં રેલાયા 'મોદીના રંગ', પેઈન્ટરે સર્જ્યો ચમત્કાર
    મેડિસન સ્કવેરમાં રેલાયા 'મોદીના રંગ', પેઈન્ટરે સર્જ્યો ચમત્કાર ચિત્રકાર ડેલ હેનરીએ રંગોની હોળી સર્જતા બન્ને હાથોએ નરેન્દ્ર મોદીનું પેઈન્ટિંગ બનાવ્યું
    કવિતા ક્રિષ્ણમૂર્તિએ 'આઈ લવ માય ઈન્ડિયા' ગાઈને બધાને ડોલાવ્યા
    કવિતા ક્રિષ્ણમૂર્તિએ 'આઈ લવ માય ઈન્ડિયા' ગાઈને બધાને ડોલાવ્યા આયો રે આયો રે મારો ઢોલણા તેમજ મલંગ મલંગ જેવા બોલિવૂડ ગીત પર પરફોર્મ કરવમાં આવ્યું

GUJARAT RAJY HTAT SANGH MEETING.

JUNAGADH:- SCIENCE FAIR:-JILLA KAXA A WINNER KRUTI.

GK ABOUT INDIAN ECONOMY

.● रुपए का सर्वप्रथम अवमूल्यन कब हुआ— 20 सितंबर, 1949

��● दूसरी बार रुपए का अवमूल्यन कब हुआ— 6 जून, 1966
��● रुपए का तीसरी बार अवमूल्यन कब हुआ— 1 जुलाई, 1991
��● विदेशों में स्थित विदेशी बैंकों के साथ विदेशी मुद्रा में भारतीय बैंकों द्वारा रखे गए खाते को क्या कहते हैं— नोस्ट्रो एकाउंट्स
��● भारत में मुद्रास्फीति की गणना किस पर आधारित है— थोक मूल्य सूचकांक
��● किस स्थिति में मुद्रा के मूल्य में वृद्धि होती है तथा वस्तुओं एवं सेवाओं की कीमतों में गिरावट होती है— मुद्रा संकुचन या अवस्फीति
��● मुद्रास्फीति के दुष्परिणामों को दूर करने के लिए जान-बूझकर मुद्रा की मात्रा कम करने का क्या कहते हैं— मुद्रा अपस्फीति
��● सकल घरेलू (जीडीपी) में कृषि एवं संबंध क्षेत्र का हिस्सा कितना है— 13.67 प्रतिशत
��● 1950-51 में भारत के सकल घरेलू उत्पाद में कृषि का योगदान कितना था— 52.2 प्रतिशत
��● रबी की फसलों की बुआई कब की जाती है— अक्टूबर, नवंबर, दिसंबर
��● रबी की फसलों में कौन-सी फसलें आती हैं— गेहूँ, जौ, चना मटर, सरसों व आलू आदि
��● खरीफ की फसलों की बुआई कब की जाती है— जून-जुलाई
��● खरीफ की फसलों में कौन-सी फसलें आती हैं— ज्वार, बाजरा, मक्का, तिल, मूँगफली, अरहर आदि
��● जायद की फसलों को कब पैदा किया जाता है— मार्च से जुलाई के मध्य
��● जायद की फसलों में कौन-सी फसलें आती है— तरबूज, खरबूज, ककड़ी तथा पशुचारा
��● व्यापारिक या नकदी फसलें कौन-सी होती हैं— कपास, गन्ना, तिलहन, चाय, जूट तथा तंबाकू
��● भारत में सर्वाधिक मात्रा में खाद्यान्न का उत्पादन होता है— चावल
��● देश में कृषि के अंतर्गत किस तरह के उर्वरकों का सर्वाधिक उपयोग होता है— नाइट्रोजनी
��● विश्व में मसलों के सबसे बड़े उत्पादक, उपभोक्ता और निर्यात्क होने का गौरव किस देश को प्राप्त है— भारत
��● रबड़ के उत्पादन में भारत का विश्व में कौन-सा स्थान है— चौथा

NEXT LOWER PRIMARY BHARTI MERIT VISHE MARU MANTAVY

NEXT LOWER PRIMARY BHARTI  MERIT VISHE  MARU MANTAVY:-
KISHOR PARMAR.
NEXT LOWER PRIMARY BHARTI MA GUJARATI MEDIUM NI 920 JAGYAO AVSHE...LAST LOWER PRIMARY BHARTI MA 2000 JAGYAO HATI..JEMA APPROX MERIT OPEN 66.34%, OBC 65.55%, SC 68.10% ANE ST MA TAMAM CANDIDATES NO VARO AVI GYO TO PAN HAJI ST NI 100+ SEAT KHALI 6E...LAST TIME 4029 CANDIDATES PASS THAYA HATA ANE 3234 CANDIDATES A BHARTI MA APPLY KARYU HATU..
AA VAKHTE TET MA 101 K TETHI VADHU MARKS VALA CANDIDATES NI SANKHYA 1112 CHHE...96 MARKS VALA  1 CANDIDATES NU MERIT 72% THAY 6E...ANE AA VARSHE 10815 TET 1 MA PASS THAYA 6E...TEMA THI MOST OF GRADUATE CHHE..ANE SEMESTER SYSTEM MA GRADUATION KARYU HOY MINIMUM 67% MARKS TO HOVA NA J ETLE BADHA NU MERIT SARERASH 3.50% VADHI JAY...ANE BHARTI MA JAGYAO CATEGORY WISE MUKVAMA AVSE TO AA SANKHYA KHUB J O6I LAGSE...ANE HA... HAVE THI DAR VARSHE ETLI J BHARTI  AVSHE..ANE OTHER MEDIUM NI COMPULSORY 300 JETLI JAGYA APVI J PADSE...
MARE 79% NU MERIT THAY 6E PAN HU A BHARTI MA BHAG LAISH NAHI...

Sep 28, 2014

IT રિટર્ન ભરવામાં રાહત ૩૦ સપ્ટેમ્બરને બદલે ૩૦ નવેમ્બર સુધી

ફરજિયાત ટેક્સ ઑડિટ રિપોર્ટ કરાવવાને પાત્ર કંપનીઓને

ચેરિટેબલ ટ્રસ્ટ, કો-ઓપરેટિવ સોસાયટીઓ, ક્રેડિટ સોસાયટીઓ તથા ૮૦ IAને ૮૦ IB કંપનીએ

આવકવેરા ધારાની કલમ ૪૪એબી હેઠળ વાર્ષિક રૃા. ૧ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે હિસાબો ઑડિટ કરાવીને તેની નકલ આવકવેરા ખાતામાં જમા આપવાની જોગવાઈ હેઠળ આવતી કંપનીઓને આગામી ૩૦મી નવેમ્બર સુધીમાં તેમનું રીટર્ન ફાઈલ કરવાની છૂટ આપી છે. આ કંપનીઓએ ફોર્મ ૩સીડીમાં તેમના ઑડિટેડ એકાઉન્ટના રિપોર્ટ સાથે રીટર્ન ફાઈલ કરવાના છે. જોકે ૩૦મી સપ્ટેમ્બરથી જેટલું મોડું રીટર્ન ફાઈલ કરશે તે કંપનીઓને વેરાની રકમ પર મહિને એક ટકાના દરે વ્યાજ પણ જમા કરાવવું પડશે. બીજા શબ્દોમાં કહીએ તો ૩૦મી સપ્ટેમ્બર પછી એક દિવસ પણ મોડું રિટર્ન ફાઈલ કરનારી કંપનીને તેમની વેરાની રકમ પર એક મહિના માટે માસિક એક ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. નવેમ્બર મહિનાની પહેલીએ રિટર્ન ફાઈલ કરનારાઓએ બેેે મહિનાનું બે ટકા વ્યાજ ચૂકવવું પડશે.
સીબીડીટીના ૨૬મી સપ્ટેમ્બરના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ચેરિટેબલ ટ્રસ્ટે ટેક્સ ઑડિટ ન કરાવવું પડતું હોવાથી તેમણે ૩૦મી સપ્ટેમ્બર જ તેમનું રિટર્ન ફાઈલ કરી દેવું પડશે. તેમણે સામાન્ય ઑડિટ તો બીજાની જેમ જ કરાવવું પડે છે. પરંતુ ટેક્સ ઑડિટ કરાવવું પડતું નથી. તેથી તેમને ૩૦મી સપ્ટેમ્બરે જ રિટર્ન ફાઈલ કરવું પડશે. તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું નથી. આ કેટેગરીમાં આવતા ચેરિટેબલ ટ્રસ્ટની જેમ જ કોઓપરેટીવ સોસાયટીઓ અને ક્રેડિટ સોસાયટીઓ કે કંપનીઓ જેમણે ટેક્સ ઑડિટ કરાવવું ન પડતું હોય તેમણે પણ ૩૦મી સપ્ટેમ્બરે જ તેમનું રિટર્ન ફાઈલ કરી દેવું પડશે.
આ જ રીતે જે ખાનગી કંપનીઓનું ટર્નઓવર રૃા. ૧ કરોડથી ઓછું હોય તેમને પણ રીટર્ન ફાઈલ કરવાની મુદતમાં આપવામાં આવેલા એક્સટેન્શનનો લાભ મળશે નહિ. આ જ રીતે આવકવેરા ધારાની કલમ ૧૦એ અને ૧૦બી તથા કલમ ૮૦ આઈએ અને ૮૦ આઈબી હેઠળની કંપનીઓને પણ તેમનું રિટર્ન ફાઈલ કરવાની લંબાવેલી મુદતનો લાભ મળશે નહિ.
આ કંપનીઓને પણ ટેક્સ ઑડિટ કરાવવું ન પડતું હોવાથી તેમને આ સુવિધા આપવામાં આવી નથી. આ કેટેગરીમાં આવતા જે કરદાતાને ધંધામાં નુકસાન થયું હશે અને ટેક્સ ઑડિટ કરાવવાનું ન આવતું હોય તેવા કિસ્સામાં તેઓ ૩૦મી સપ્ટેમ્બર પછી રિટર્ન ફાઈલ કરશે તો તેમને તેમનો લૉસ કેરિફોરવર્ડ કરવાની તક આપવામાં આવશે નહિ.

ગુજરાત માધ્યમિક બોર્ડને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ



ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા છેલ્લા એક વર્ષથી પરિક્ષામાં ગેરરીતિ અટકે તે માટે ટેબ્લેટ અને સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડને 2014માં ઇ ગવર્નન્સ યોજના હેઠળ ટેકનોલોજીનો સરકારી કામકાજમાં ઉપયોગ કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

બોર્ડ પરિક્ષામાં સીસીટીવી અને ટેબલેટનો ઉપયોગ કરવા બદલ તેમજ ધો.10માં સર્વગ્રાહી મુલ્યાંકન પધ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો હતો જેમાં 30 માર્ક સ્કૂલ દ્વારા અને બોર્ડની પરિક્ષાનાં 70 માર્ક એમ કુલ 100 માર્કની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવાનું શરૂ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને માહિતી મોકલવામાં કાગળ, માનવશક્તિ અને ટ્રાન્સપોર્ટેશનનો વ્યય થતો હતો. તેને અટકાવવા 'ઓનલાઈન ઈન્ટરનલ પ્રેક્ટિકલ માર્કસ કેપ્ચરિંગ'ની પધ્ધતિ દાખલ કરાઈ હતી.

આ પધ્ધતિમાં 10 દિવસમાં 10 લાખ વિદ્યાર્થીઓના 50 લાખ વિષયના માર્કની એન્ટ્રી કરાઈ હતી. આ પ્રોજેક્ટને 'સ્કોચ એવોર્ડ' અને 'ઓર્ડર ઓફ મેરિટ' એનાયત થયો છે. આ જ રીતે પરિક્ષા શુધ્ધીકરણના પ્રયાસ માટે 12 જિલ્લાની 71 સ્કૂલોના 1213 વર્ગખંડોને ટેબલેટ દ્વારા અને અન્ય 30 ટકા જેટલા વર્ગખંડોને સીસીટીવી કેમેરા દ્વારા રેકોર્ડ કરાયા હતા. આ કામગીરીના અંતે 744 વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી હતી અને તેમને જુલાઈમાં જે તે વિષયની પરીક્ષા ફરીથી આપવાનો આદેશ કર્યો હતો. નોંધનીય છે કે, આ પરીક્ષાને રેમિડીયલ પરીક્ષા નામ અપાયું હતું.

Sep 27, 2014

રેન્કિંગ માટે યુનિ.ઓ ચિંતા ન કરે પૈસાથી પણ મળે છેઃ સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય શિક્ષણમંત્રીની કુલપતિઓને સાંત્વના કે સલાહ?

ગુજરાતની સરકારી યુનિ.ઓમાં પુરતો સ્ટાફ ન હોઈ કાયમી સ્ટાફ ભરવા રાજ્યપાલની સરકારને



કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્યપાલ દ્વારા રાજ્યની તમામ યુનિ.ઓના કુલપતિઓને એક બેઠક બોલાવાઈ હતી.જેમાં ઉપસ્થિત રહેલ સ્મૃતિ ઈરાનીએ કુલપતિઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણે યુનિવર્સિટીઓમાં રહેલી સારી બાબતોને સમાજ સમક્ષ લાવવાની જરૃર છે અને યુનિ.ઓ રેન્ક પાછળ દોડવાની જરૃર નથી.આજે વિદેશની અનેક યુનિ.ઓ વર્લ્ડ એક્રેડિટેશન કાઉન્સિલમાં ૪૦થી૫૦ હજાર ડોલરમાં રેન્ક મેળવી લેતી હોય છે ત્યારે તેના અંજાઈ જઈને રેન્ક માટે ગભરાવાની જરૃર નથી.મહત્વનું છે કે સ્મૃતિ ઈરાનીના આ નિવેદનને કુલપતિઓ માટે સાંત્વના સમજવી કે સલાહ તે એક પ્રશ્ન છે કારણકે જો કેન્દ્રિય શિક્ષણમંત્રી જ યુનિ.ઓને નેક એક્રેડિટેશન માટે પ્રોત્સાહીત ન કરે તો ગુણવત્તા કઈ રીતે સુધરશે?
તાજેતરમાં ગુજરાતના નવા રાજ્યપાલ પદે ઓમપ્રકાશ કોહલી નિયુક્ત થયા હોઈ અને તેઓ સ્ટેચ્યુટ પ્રમાણે રાજ્યની તમામ સરકારી યુનિ.ઓના કુલાધપતિ પણ કહેવાય છે ત્યારે નિયુક્તિ બાદ તેઓને રાજ્યની તમામ યુનિ.ઓનું શૈક્ષણિક માળખું સમજવુ હોય રાજ્યપાલ દ્વારા તમામ યુનિ.ઓના કુલપતિઓની આજે બેઠક બોલાવાઈ હતી.કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી પણ આ કોન્ફરન્સમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર ખાતે ગવર્નર હાઉસમાં મળેલી આ આખા દિવસની કોન્ફરન્સમાં રાજ્યની સરકારી તેમજ પ્રાઈવેટ સહિતની તમામ યુનિ.ઓના કુલપતિ  ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની યુનિ.ઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.આ બેઠકમાં યુનિ.ઓના કોમન ઈસ્યુસ તેમજ યુનિ.ઓની નવી પહેલ,પડકારો અને મુદ્દાઓ અંગે ચર્ચા કરવામા આવી હતી.કોન્ફરન્સમાં તમામ કુલપતિઓ સમક્ષ કેન્દ્રિય શિક્ષણ મંત્રી સ્મૃતિ ઈરાની ખાસ સંબોધન પણ કર્યું હતું.જેમાં તેઓએ જણાવ્યું હતું કે યુનિ.ઓમાં અનેક સારી બાબતો રહેલી છે પરંતુ આપણે લોકો સમક્ષ તેને લઈ નથી જતા આપણે સારુ પીઆરશીપ કરવું જોઈએ અને નકારાત્મક બાબતોને ધ્યાને લાવવાને બદલે સારી બાબતોને ધ્યાને લાવી જોઈએ.ઉપરાંત યુનિ.સ્તરે વધુને વધુ વિદ્યાર્થીઓને રીસર્ચ ક્ષેત્રે પ્રોત્સાહીતકરવા જોઈએ અને તે માટે ખાસ ટીચર્સ  ટ્રેનિંગ પર ભાર આપવામા આવે. આ સંબોધનમાં સ્મૃતિ ઈરાની એવું પણ બોલી ગયા કે યુનિ.ઓને નેક એક્રિડિટેશન અને રેન્કિંગ બાબતે ચિંતા કરવાની જરૃર નથી.આજે દેશ અને દુનિયામા અનેક યુનિ.ઓ એવી છે કે જેઓને પૈસાથી રેન્ક મળી જાય છે.વિદેશોમાં ૪૦ હજાર ડોલરમાં વર્લ્ડ એક્રેડિટેશન કાઉન્સિલમાં રેન્ક મળી જાય છે ત્યારે આવી યુનિ.ઓથી આપણે અંજાવાની જરૃર નથી અને તેમની શ્રેષ્ઠતા સુધી ભલે ન પહોંચાય તો ચિંતા કરવાની જરૃર નથી.રેન્ક ન મળે તો યુનિ.ઓએ ડરવાની જરૃર નથી.આમ સ્મૃતિ ઈરાનીએ આ વાત કરીને કુલપતિઓને વિદેશી યુનિ.ઓ જેવા સારા રેન્ક ન મળતા સાંત્વના આપી હતી કે સલાહ આપી હતી તે એક મુંઝવણ પેદા કરી તેવી વાત છે.કારણકે આજે યુનિ.ઓને નેક એક્રેડિટેશ માટે આગળ લાવવી પડશે તો જ ગુણવત્તા વધે તેમ છે. જ્યારે રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ કહ્યું હતું કે સરકારી યુનિ.ઓ અને પ્રાઈવેટ યુનિ.ઓ વચ્ચે શૈક્ષણિક તાલમેલ સર્જાવું જોઈએ અને તમામને સમાન શિક્ષણ મળવું જોઈએ.આ ઉવરાંત તેઓએ રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું હતું કે અનેક યુનિ.ઓમાં સ્ટાફની અછત છે અને તેના લીધે શિક્ષણ પર ખરાબ અસર પડે તે સારી બાબત નથી.સ્ટાફ સહિતની અસુવિધાઓ શિક્ષણને આડે મુશ્કેલી ન બનવી જોઈએ.એડહોક અને કોન્ટ્રાકટ સ્ટાફ ભરવાને બદલે કાયમી સ્ટાફ ભરાવો જોઈએ.

તોફાનોના પગલે વડોદરામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ

વડોદરા પોલીસે ઈન્ટરનેટ પર 3 દિવસ સુધી રોક લગાવી ?

ગઈકાલે તોફાનોમાં વોટ્સ અપ પર ફરતા સંદેશાઓના કારણે સ્થિતિ વધુ વણસી હતી



વડોદરામાં સતત બે દિવસ સુધી કોમી રમખાણો થયા બાદ પોલીસે આજે વડોદરામાં  મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાવી દીધી છે.

ગઈકાલે વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં ફતેપુરામાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને જે બાદમાં અન્ય વિસ્તારોમાં પણ પ્રસર્યા હતા.વડોદરામાં ગઈકાલે જે પ્રકારનો અફરા તફરી અને તંગદીલીનો માહોલ સર્જાયો હતો તેમાં વોટ્સ અપ જેવી સોશ્યલ સાઈટ્સ પરથી વાયુવેગે પ્રસરી રહેલા બોગસ મેસેજ અને ફોટોગ્રાફનો પણ ફાળો હોવાનુ પોલીસનુ માનવુ છે.

જેના પગલે આજે વધુ તંગદીલી ના સર્જાય તેની તકેદારીના ભાગરુપે મોબાઈલ પરની ઈન્ટરનેટ સેવાઓ 3દિવસ સુધી  બંધ કરાવી દેવાઈ છે.પોલીસના સત્તાવાર સુત્રોનુ કહેવુ છે કે આજના દિવસ પુરતુ ઈન્ટરનેટ સેવા બંધ કરાવવામાં આવી છે.આવતીકાલે ઈન્ટરનેટ સેવા ચાલુ રખાશે કે નહી તેનો નિર્ણય પરિસ્થિતિ જોયા પછી લેવાશે

UNમાં PM : પાકિસ્તાન આતંકવાદ છોડે, પછી જ વાતચીત



ન્યૂ યોર્ક

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈપણ જાતના સ્પષ્ટ એજન્ડા વગર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવા માટે અમેરિકા પહોંચી ગયા છે અને યુનાઇટેડ નેશન્સમાં તેમના આ ભાષણ પર આખી દુનિયાની નજર છે. નોંધનીય છે મોદી યુનાઇટેડ નેશન્સમાં હિન્દીમાં ભાષણ આપવાના છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે મોદી પહેલાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપેયી બે વખત યુનાઇટેડ નેશન્સમાં હિન્દીમાં ભાષણ આપી ચૂક્યા છે. અટલ બિહારી બાજપેયીએ પહેલી વખત 1977માં  જનતા પાર્ટીના વિદેશપ્રધાન તરીકે યુએનમાં હાજરી આપી હતી ત્યારે અને બીજી વખત તેઓ વડાપ્રધાન હતા ત્યારે હિન્દીમાં જ વકતવ્ય આપવાનું પસંદ કર્યું હતું. તેઓએ યુએનના મહાસચિવ બાન કી મુનને મળીને પોતાની આ મુલાકાતની શરૂઆત કરી હતી.

ગુરુ અટલ બિહારી બાજપેયીની જેમ જ હવે નરેન્દ્ર મોદી પણ યુનાઇટેડ નેશન્સમાં હિન્દીમાં વકતવ્ય આપવાના છે અને તેમના આ વક્તવ્યને સાંભળવા માટે બહાર લોકોના ટોળેટોળાં જમા થઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્રમાં નવાઝ શરીફે કાશ્મીરનો વિવાદાસ્પદ મુદ્દો છેડ્યા પછી મોદી આજે તેમની સ્પિચમાં કેવું વલણ અપનાવશે એની પર બધાની નજર છે. જાણકારો કહે છે કે મોદીએ આ મામલામાં ભારે વ્યુહાત્મક વલણ અપનાવ્યું છે અને તેઓ આ મામલા વિશે વાત કરીને એને થોડું પણ મહત્વ આપવા નથી માગતા જેના કારણે કદાચ તેઓ આજના યુએના વક્તવ્યમાં કાશ્મીર મુદ્દા વિશે કોઈ પણ વાત નહીં કરી અને જો કરશે તો એવા અંદાજથી કરશે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત નહીં પણ પાકિસ્તાન ભીંસમાં મુકાઈ જશે.

નોંધનીય છે કે હાલમાં સંયુક્ત રાષ્ટ્રની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ત્યાં વિવાદાસ્પદ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને પછી નિવેદન કરતા જણાવ્યું હતું કે ભારતે સચિવ સ્તરની મંત્રણા રદ કરીને પેન્ડિંગ રહેલા મુદ્દાઓના સમાધાન માટેની વધુ એક તક ગુમાવી દીધી. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે 'કાશ્મીરના મૂળ મુદ્દાની અવગણના ન કરી શકાય. પાકિસ્તાન વાત કરીને આ સમસ્યાના ઉકેલના હેતુથી કામ કરવા તૈયાર છે પણ ભારત સહકાર નથી આપતું. હકીકતમાં જમ્મુ કાશ્મીરના લોકોને સ્વ નિર્ણયનો અધિકાર અપાવવાના અમારા સમર્થન અને ભલામણ કાશ્મીર વિવાદ સાથે અમે પણ જોડાયેલા હોવાથી અમારી ઐતિહાસિક કટિબદ્ધતા અને જવાબદારી છે. હકીકતમાં છ દસકા પહેલાથી સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવા માટે પ્રસ્તાવ રજૂ કરાયો છે. જમ્મુ કાશ્મીરના લોકો આજે પણ એ વચન અમલમાં મુકાય એ માટે રાહ જોઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન કાશ્મીરીઓ સાથે ભારે ક્રુરતા આચરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉકેલાવો જોઈએ. આ આંતરરાષ્ટ્રીય સમૂહની જવાબદારી છે.'
મોદીની સ્પિચની હાઇલાઇટ્સ...

  • નવી ચેતના અને નવા વિશ્વાસ સાથે UNના નવનિર્માણની શરૂઆત કરીએ.
  • આવતા વર્ષે UN 70 વર્ષનું થઈ જશે એટલે એ વિશે વિચારણા કરવાની જરૂર છે.
  • ચાલો સાથે મળીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ.
  • યોગ ભારતીય સંસ્કૃતિનો અને જીવનશૈલીનો અભિન્ન હિસ્સો છે.
  • પ્રકૃતિ પ્રત્યે આદરભાવ રાખવાની નવી ઉર્જા મળશે અને ખર્ચો પણ નહીં થાય.
  • આપણે જીવનશૈલીને બદલવાની જરૂર છે.
  • ભારત આ માટે તૈયાર છે.
  • ટેકનોલોજીના કારણે ઘણી વસ્તુઓ શક્ય બની છે માત્ર પ્રતિબદ્ધ થવાની જરૂર છે.
  • ઇમાનદારીથી જવાબદારી નિભાવીને પડકારો ઝીલવા જોઈએ.
  • જોકે આપણે એવી અનેક વસ્તુઓમાં અટવાયેલા છીએ જેના કારણે એના પર ધ્યાન નથી અપાતું.
  • વૈશ્વિક સ્તરે પણ આ મુદ્દાઓ જ ચર્ચામાં રહેવા જોઈએ.
  • ભારતમાં વિકાસના એજન્ડા આ મુદ્દાઓ પર જ કેન્દ્રિત છે.
  • આજે 2.5 બિલિયન લોકોને સેનિટેશન તેમજ 1.5 બિલિયન લોકોને વીજળી તેમજ 1.2 બિલિયન લોકોને પીવાનું પાણી નથી મળતું.
  • બીજાને ક્ષતિ પહોંચાડવાની નીતિ ન હોવી જોઈએ અને એકબીજાના હિતોની ચિંતા કરવી જોઈએ.
  • આંતરરાષ્ટ્રીય સ્તર પર નીતિઓનું યોગ્ય સમન્વય થાય એ જરૂરી છે.
  • જો આજે ફેસબુક અને ટ્વિટરના પ્રસારની ગતિ વિશે વિચારશો તો તમારે વિશ્વાસ કરવો પડશે કે વિકાસ અને સશક્તિકરણ પણ આ ગતિથી વિકાસ સાધી શકે છે.
  • આજે દુનિયામાં અરબો લોકો ગરીબી અને અભાવ વચ્ચે જીવન જીવી રહ્યા છે
  • ત્રાસવાદ દૂર કરવા દેશો વચ્ચે ભાગીદારી શક્ય
  • ભારત પોતાના ભવિષ્ય માટે સ્થિર અને શાંતિપૂર્ણ ભવિષ્યની આશા રાખે છે.
  • 21માં સદીમાં વિશ્વ બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યારે આપણે સમયની સાથે પરિવર્તન સાધીએ એ જરૂરી છે.
  • 21મી સદીમાં 20મી સદીની નીતિઓ યોગ્ય પરિણામ ન આપી શકે.
  • સંયુક્ત રાષ્ટ્રને વધારે લોકભાગીદારીવાળો બને એ અનિવાર્ય છે.
  • કોઈ એક દેશ કે સમુહ બધાને કંટ્રોલ ન કરી શકે
  • અત્યારે સમયની માંગ પ્રમાણે જાતને બદલાવવાની જરૂર છે
  • નિરાશાવાદી માહોલને હટાવી દેવાની જરૂર છે
  • એક તરફ આપણે નીતિઓ સંયુક્ત રીતે જોડાયેલી હોવાની વાત કરીએ છીએ અને બીજી તરફ સ્વાર્થી વલણ અપનાવીએ છીએ.
  • આ મંચ કઈ રીતે વધારે સમર્થ અને વિશ્વસનીય બને એ વિચારવાની જરૂર છે.
  • આપણે વિચારવાની જરૂર છે UN જેવું સારું પ્લેટફોર્મ હોવા શું કામ અલગઅલગ સંઘોની સ્થાપના કરવાની જરૂર છે?
  • આંતરરાષ્ટ્રીય એકતાના જે આધાર પર સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ છે એની આજે જેટલી જરૂર છે એટલી ક્યારેય નહોતી.
  • પહેલાં સમુદ્રનો જે વિસ્તાર આપણને જોડતો હતો એ જ હવે ટકરવાનો મુદ્દો બની ગયો છે
  • આજે આખી દુનિયામાં આતંકવાદ ફેલાઈ ગયો છે.
  • આતંકવાદ નવાનવા નામ અને સ્વરૂપથી પ્રગટ થઈ રહ્યો છે અને એનાથી કોઈપણ દેશ બચી નથી શક્યો.
  • અમારા પોતાના વિસ્તારમાં આતંકવાદના અસ્થિરતાપ્રેરક ખતરાને અમે લાંબા સમયથી વેઠી રહ્યા છે.
  • યુરોપમાં વિભાજનનો ડર છે.
  • એશિયા પેસિફિક વિસ્તારમાં સમુદ્ર વિસ્તારની સુરક્ષાનો મુદ્દો મહત્વનો છે.
  • વિશ્વમાં ભારે ફેરફાર ચાલી રહ્યા છે.
  • અમે વિકાસશીલ દેશ છીએ પણ જેને જરૂર છે એની સાથે અમે સંશાધનની વહેંચણી કરવા તૈયાર છીએ.
  • પાકિસ્તાન અને અમારે કાશ્મીરમં પૂરપીડિતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
  •  હું ઇચ્છું છું કે પાકિસ્તાન પણ આવી વાતચીત માટે માહોલ ઉભો કરવામાં મદદ કરે.
  •  પાકિસ્તાન સાથે  હું આતંકના ઓછાયા વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં દ્વિપક્ષીય વાતચીત કરવા માગું છું.
  •  પાકિસ્તાન સહિત બધા પાડોશી સાથે સહયોગ વધારવા માગુ છું
  •  અમારું ભવિષ્ય પાડોશીઓ સાથે જોડાયેલું છે.
  •  શાંતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને જ કામ કરવું પડશે.
  •  ભૂતાન, નેપાળ તેમજ આફ્રિકામાં લોકશાહીનો વ્યાપ વધી રહ્યો છે.
  •  મને ભારતીયોની અપેક્ષાનો અહેસાસ છે.
  •  સમગ્ર દુનિયામાં લોકતંત્રનું સામ્રાજય છે
  • ભારત એવો દેશ છે જે માત્ર પોતાના માટે નહીં પણ આખા વિશ્વમાં ન્યાય, પ્રગતિ અને સમૃદ્ધિ સ્થપાય એ માટે પ્રયત્નશીલ છે.
  • પ્રત્યેક રાષ્ટ્ર પ્રત્યે વિશ્વની અવધારણા તે દેશની સંસ્કૃતિકને આધારે નક્કી થતી હોય છે
  • ભારત એવો દેશ છે જ્યાં પ્રકૃતિની સાથે સંવાદ થાય છે, સંઘર્ષ નહીં.
  • દરેક દેશની પોતાની મૌલિક ફિલોસોફી હોય છે અને દેશ એની પ્રેરણાથી આગળ વધે છે.
  • ભારતનો ચિરંતન વિવેક સમગ્ર દુનિયાને એક કુટુંબ તરીકે જુએ છે.
  • દેશ ભારે પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે.
  • ભારત એવો દેશ છે જ્યાં માનવવસતીનો છઠ્ઠો હિસ્સો રહે છે
  • ભારતના વડાપ્રધાન તરીકે તમને સંબોધન કરવાનું અત્યંત સન્માનીય છે

Big Thank You : મોદીએ ન્યૂ યોર્કમાં ઉતરી કહ્યું, સ્પર્શી ગયો મને તમારો પ્રેમBig Thank You : મોદીએ ન્યૂ યોર્કમાં ઉતરી કહ્યું, સ્પર્શી ગયો મને તમારો પ્રેમ



(ન્યૂયોર્ક પેલેસ હોટેલની બહાર મોદીની ઝલક માટે ઊમટેલા પ્રશંસકોને મળ્યા મોદી)
 ન્યૂયોર્કઃ મોદીએ અમેરિકાના આગમન ટાણે મળેલા ભવ્ય સ્વાગત માટે હોટેલ આગળ હાજર હજારોનો લોકોનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, આવા ભવ્ય સ્વાગત માટે big thank you. હું ભાવવિભોર થયો છું. આગળના પ્રવાસ માતે આશાવાદી છું. મોદીના આગમન ટાણે હાજર ભારતીય સમુદાયના લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. લોકો મોદીને જોવા બે કલાકથી હોટેલ આગળ ઉભા હતા.
વડાપ્રધાન મોદીની પાંચ દિવસીય અમેરિકા વિઝિટનો પ્રારંભ થઇ ચૂક્યો છે. 26મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કના અંદાજે 12.30 કલાકે મોદીનું વિમાન એર ઇન્ડિયા વન ન્યૂયોર્કના એરપોર્ટ ખાતે લેન્ડ થયું હતું. એરપોર્ટથી નીકળીને મોદી ન્યૂયોર્ક પેલેસ હોટેલ તરફ રવાના થયા, જ્યાં હોટેલની બહાર મોટી સંખ્યામાં પ્રશંસકો મોદીને આવકારવા માટે રાહ જોતાં હતા. હોટેલમાં પ્રવેશ્યા બાદ મોદી સિક્યોરિટી પ્રોટોકોલનો ભંગ કરી ચાલતા બહાર આવ્યા ને પોતાના પ્રશંસકો સાથે હાથ મિલાવ્યા તથા નમસ્કાર કર્યા. બાદમાં હોટેલ ખાતે બે કલાકના ટૂંકા વિરામ બાદ તેઓ ન્યૂયોર્કના મેયર બિલ જે બ્લાસિયોને મળ્યા હતા.
ન્યૂયોર્કના મેયર સાથે મોદીએ અર્બન સ્પેસ, પબ્લિક હાઉસિંગ, મેગાસિટી પોલિસિંગ, મોટા શહેરો સામેના ખતરા અને ક્રાઉડ મેનેજમેન્ટ જેવા વિષયો પર વાતચીત કરી હતી. તે સિવાય મોદી અમેરિકાની નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના વડા પ્રોફેસર ડો. હેરોલ્ડ વારમસને પણ મળ્યા હતા. ડો. વારમસ સાથે પીએમએ કેન્સર નાબૂદી અંગે ચર્ચા કરી.

News Upadate


 ભારતે રચ્યો ઈતિહાસ, મંગળમાં સ્થાપિત થયું મંગળયાન

 ભારતે રચ્યો ઈતિહાસ, મંગળમાં સ્થાપિત થયું મંગળયાન
ભારતનું મંગળયાન મંગળની કક્ષામાં પ્રવેશ થઈ ગયું છે. મંગળની કક્ષામાં યાનનો પ્રવેશ કરનાર ભારત ચોથો દેશ છે. પરંતુ અશિયાઈ દેશોમાં ભારત પ્રથમ દેશ છે જેમનું પ્રથમ પ્રયાસે યાન મંગળ કક્ષામાં પ્રવેશ થયો છે. મંગળયાનનું મગળની કક્ષામાં પ્રવેશ થતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યાં છે. ભારત દ્વારા બનાવાવમાં આવેલું મંગળ યાન માત્ર રૂ. 450 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. મિશન મંગળયાનને સફળતા મળતા ઈસરો સેન્ટરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું.
મંગળયાન મંગળમાં સ્થાપિત થતાં સોનિયા ગાંધી સહિત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ગુજરાતના વડાપ્રધાન આનંદીબેન પટેલે પણ ઈસરોને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત અમેરિકાની વૈત્રાનિક સંસ્થા નાસાએ પણ ઈસરોને અભીનંદન પાઠવ્યા હતાં.
નરેન્દ્ર મોદીએ ઈસરોમાં આપેલા ભાષણની હાઈલાઈટ્સ
વડાપ્રધાને રચેલી ગુજરાતી બે પંક્તિ સંભળાવી : નિષ્ફળ જઈશું તો ટીકા થશે અને સફળ થઈશું તો ઈર્ષા પાત્ર થઈશું
દેશના દરેક નાગરિકે વૈજ્ઞાનિકો પર ગર્વ કરવું જોઈએ, આપણી ક્રિકેટ ટીમ એક ટુર્નામેન્ટ જીતીને આવે તો આપણે તેમને વધાવી લઈએ છીએ, જ્યારે આપણાં વૈજ્ઞાનિકોએ એક ઐતિહાસીક સીદ્ધી મેળવી છે
ભારત મંગળ સુધી પહોંચનાર એશિયાનો પ્રથમ દેશ છે
ભારતે અમેરિકા અને યુરોપને પણ પાછળ છોડ્યું છે
મને આપણાં વૈજ્ઞાનિકો પર ગર્વ છે
મારા ઈસરોના વૈજ્ઞાનિકોને અશ્કયને શક્ય કરવાની આદત પડી ગઈ છે
વૈજ્ઞાનિકો સવારથી મુંઝવણમાં હતાં કે મને બોલાવો કે નહીં, પરંતુ મે કહ્યું કે નિષ્ફળ પણ થઈશું તો તેની જવાબદારી હું લઈશ
પહેલા પ્રયાસમાં અત્યાર સુધી કોઈને સફળતા નથી મળી
મને મિશનની સફળતા પર વિશ્વાસ હતો
હોલિવૂડની ફિલ્મ કરતાં પણ સસ્તામાં આપણે મંગળ યાન બનાવ્યું છે
મિથેન ગેસનું સેન્સર અને કેમેરા ઈસરોમાં બન્યું છે
આજે બપોર સુધીમાં મંગળ ગ્રહ પરથી પ્રથમ તસવીર મળશે
મંગળની કક્ષામાં પહોંચનાર ભારત ચોથો દેશ છે
આજે ઈતિહાસ રચાયો છે
દેશ માટે આજે ઐતિહાસીક દિવસ
દેશ અને ઈસરો માટે આજે મહત્વનો દિવસ
યાનમાં મંગળનું મિલન થઈ ગયું
પીએમ નરેન્દ્ર મોદીએ અભીનંદન આપ્યા.
અમેરિકી છાપામાં પીએમ મોદીએ લખ્યો લેખ, "જલ્દી જોવા મળશે બદલાયેલુ ભારત"

modi
 
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વ્યસ્ત અમેરિકા પ્રવાસના એક દિવસ પહેલા અમેરિકાના છાપા વોલ સ્ટ્રીટ જર્નલમાં પોતાનો લેખ લખ્યો છે કે આવનારા એક મહિનામાં તમને એક બદલાયેલુ ભારત જોવા મળશે. તેમણે લખ્યુ કે જો તમે પહેલા ક્યારેય ભારત ગયા છો તો આવનારા મહિનાઓમાં તમને બદલાયેલુ ભારત જોવા મળશે. ભારતને વેપાર, વિચાર, શોધ, નવાચાર અને પર્યટન માટે ઉદાર અને મૈત્રીપુર્ણ બનાવવામાં આવશે. 
 
અમેરિકાને પ્રાકૃતિ વૈશ્વિક ભાગીદાર બતાવતા મોદીએ લખ્યુ છે કે ભારત અને અમેરિકા એક બીજાની સફળતામાં મૂળભૂત ભાગ રાખે છે.  'મેક ઈન ઈંડિયા' અભિયાનની શરૂઆતના એક દિવસ પછી પ્રધાનમંત્રીએ લખ્યુ કે ભારતમાં અફસરશાહીને સરળ અને નાનુ બનાવવાની સાથે જ સરકારને પારદર્શી અને જવાબદાર બનાવવામાં આવશે. તેમણે લખ્યુ કે વિકાસને વધારવા અને લોકોની મૂળભૂત જરૂરિયાતોને પુર્ણ કરવા માટેની ખૂબ જરૂર છે. જેને અમે પુર્ણ કરીશુ અને વિશ્વ સ્તરીય આધારભૂત માળખુ તૈયાર કરીશુ.  અમે અમારા શહેરોને સ્માર્ટ અને રહેવા લાયક બનાવીશુ અને અમારા ગામ આર્થિક ફેરફારના નવા એંજિન બનશે.  'મેક ઈન ઈંડિયા' અમારી પ્રતિબદ્ધતા છે જે સૌને માટે આમંત્રણ છે. જેનાથી ભારતને એક વૈશ્વિક નિર્માણ હબ બનાવી શકાય. 
 
 પોતાના લેખમાં મોદીએ લખ્યુ કે ભારતમાં ફેરફારની ઊંચી લહેર છે. 1.25 અરબ લોકો રાજનીતિક સ્થિરતા, ગુડ ગવર્નેસ અને ઝડપી વિકાસ ઈચ્છે છે. મોદી પાંચ દિવસની અમેરિકા યાત્રા પર ગયા છે. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપશે અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન અમેરિકામાં રહેનારા ભારતીયોને મોદી ન્યૂયોર્કના મેડિસન ગાર્ડનમાં સંબોધિત કરશે.

GTU CCC Practical Exam Related Video 2 how to Outlook 2003 set up ?

STD.1 THI 8 NU PARINAM PATRAK BANAVVA MATE NO PROGRAM.

TODAY GTU CCC PRACTICAL PAPER QUESTIONS 26/09/2014,3:00-5:30 PM DATE-->26/9/14

TIME-->3.to 5.30     PM
1.folder subfolder
2.paint kudarati drashya
3.word ma 10 student name 3 subject ane total mark header footer table
4.notepad ma biodata  type karo.
5.screen saver badlo.
6.outlook ma apoiment reminder---

Sep 26, 2014

Answer key of Livestock Inspector Examination Date 31-08-2014 ( Animal Husbandry ) ..........!

News Update










KHEDA JILLA MA 94 VIDHYASAHAYAKO SUSPEND.

૯૪ વિદ્યાસહાયકોને છૂટા કરવા આદેશ:-
--> ખેડા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ ર૦૦૮માં ભરતી થયેલા વિદ્યાસહાયકોમાં ૧૧પ જેટલા વિદ્યાસહાયકો બોગસ ભરતી થયેલા હોવાનું ધ્યાને આવતાં તેઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં અપંગના પ્રમાણપત્રો ઉપરાંત રમતગમતના પ્રમાણપત્રોને આધારે ફરજ બજાવી રહેલા અને ભરતીના મહેકમ કરતાં વધુ ભરતી થયેલા વિદ્યાસહાયકો સામે તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં બોગસ પ્રમાણપત્રો મામલે છુટા કરાયેલા અને સ્વૈચ્છીક રાજીનામુ સ્વીકારવામાં આવ્યું હોય તેવા ૧૧ વિદ્યાસહાયકો હતા.જેને પગલે બાકી રહેલા ૧૦૪ વિદ્યાસહાયકોને કોર્ટના હુકમને પગલે તા.૯ના રોજ આધાર પુરાવા સાથે રૃબરૃ સુનવણી હાથ ધરવામાં આવી હતી.જેમાં તપાસને અંતે ૯૪ વિદ્યાસહાયકોને આજરોજ નોકરીમાંથી છુટા કરવાનો હુકમ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવતાં બોગસ ભરતી થયેલા વિદ્યાસહાયકોમાં સોંપો પડી ગયો હતો.
ખેડા જિલ્લામાં વર્ષ ર૦૦૮માં થયેલી વિદ્યાસહાયકોની ભરતીમાં તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એન.બામણીયા અને તેમના અંગત ક્લાર્ક દ્વારા નાણાકીય વ્યવહારથી બોગસ ભરતી કરી હોવાના આક્ષેપો સાબિત પુરવાર થયા હતા.પોતાની મનમાનીને આધારે ભરતી પ્રક્રિયામાં નિયત કરતાં વધારાના ૬૪ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી,જ્યારે પ૧ વિદ્યાસહાયકોને રમતગમત તેમજ અપંગના બોગસ પ્રમાણપત્રોને આધારે લાયક માનવામાં આવ્યા હોવાની પીટીશન ખેડા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.જેને પગલે તપાસ હાથ ધરાઈ હતી,અને સમગ્ર મામલો જાણ્યા બાદ હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે જિલ્લા પંચાયતને સુનવણી હાથ ધરીને કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.જેને પગલે તા.૯/૯/૧૪ના રોજ ૧૦૪ વિદ્યાસહાયકોને રૃબરૃ લેખિત ખુલાસા અને આધાર પુરાવા સાથે સાંભળવામાં આવ્યા હતા.જેની સંપુર્ણ તપાસ બાદ આજરોજ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.એમ.જાદવ દ્વારા ૧૦ વિદ્યાસહાયકોના પ્રમાણપત્રો સાચા હોવાનું માન્યું હતું,જ્યારે બાકીના ૯૪ વિદ્યાસહાયકોમાંથી ૬ર ને વધારાની ભરતી થયા હોવાના કારણોસર તેમજ ૩ર વિદ્યાસહાયકોને રમતગમતના પ્રમાણપત્રોના મામલે નિમણૂંક અમાન્ય ઠરતી હોવાનું જાહેર કરીને તમામ ૯૪ વિદ્યાસહાયકોને નોકરીમાંથી છુટા કરવાનો આદેશ કર્યો હતો.જો કે હાઈકોર્ટના આદેશને પગલે હુકમનો અમલ ર૧ દિવસ પછી થશે,તેમ જણાવવામાં આવેલ છે. ૯૪ બોગસ વિદ્યાસહાયકોને છુટા કરવાનો આદેશ થતાં જ સવારથી જ બોગસ શિક્ષકોમાં સોંપો પડી ગયો હતો.તેમછતાં તેઓએ આગામી સમયમાં હાઈકોર્ટમાંથી હુકમ સામે સ્ટે મેળવવાના ચક્રો ગતિમાન કરી દીધા હોવાનું જાણવા મળેલ છે.
બોગસ ભરતી મામલે છૂટા કરાયેલા વિદ્યાસહાયકો સ્ટે માટે પ્રયત્નશીલ
વર્ષ ર૦૦૮માં રમતગમતના બોગસ પ્રમાણપત્રો અને વધારાની ભરતીથી વિદ્યાસહાયક તરીકે નિમણૂંક પામેલા ૯૪ વિદ્યાસહાયકોને આજરોજ ફરજ ઉપરથી છુટા કરવાનો હુકમ કરવામાં આવતાં તમામ વિદ્યાસહાયકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી.તેમછતાં તેઓએ આગામી સમયમાં હાઈકોર્ટને શરણે જઈને હુકમ વિરૃધ્ધ સ્ટે મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

SVACHCHH BHARAT SAPTAH PARIPATRA:- 25/9/2014 Thi 2/10/2014.

BREAKING NEWS:- LOWER PRIMARY MA NAVI BHARTI MA 920 JAGYAO AVSHE...10 VARSH NO BOND REHSE.

SAURASHTRA UNIVERSITY:-ALL EXAM TIME-TABLE.

GUJARAT MA 8000 POLICE NI BHARTI THASE.

SAURASHTRA UNIVERSITY NE NAAC DWARA 'A' GRADE.

અહો આશ્ચર્યમ! સૌરાષ્ટ્ર યુનિ.ને ેંય્ઝ્ર નેક એસેસમેન્ટમાં 'એ' ગ્રેડેશન.
--> રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને યુજીસીની નેશનલ એક્રેડીએશન કમિટીએ એ ગ્રેડેશન જાહેર કર્યું છે. અગાઉ યુનિર્વિસટીને ૨.૯૩ ગુણ હતા તે તાજેતરમાં કરાયેલા એસસમેન્ટમાં વધીને ૩.૦૫ થતાં આ સંસ્થા દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન પામી છે.
૧૯૬૭માં સ્થપાયેલી સૌરાષ્ટ્ર યુનિર્વિસટી માટે આજે સોનાનો સુરજ ઉગ્યો હતો. યુનિર્વિસટી ગ્રાંટ કમિશનનના એસસમેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને એ ગ્રેડેશન જાહેર કરાતા કુલપતિ ડો. મહેન્દ્ર પાડલીયા અને અધ્યાપક તેમજ વહીવટી કર્મચારીઓએ તેને હર્ષભેર વધાવી લીધી હતી. ઓગષ્ટ માસમાં નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિર્વિસટી ખાતે ચકાસણી કરવા આવી હતી અને આ ટીમે યુનિર્વિસટી કેમ્પસ તેમજ સંલગ્ન કોલેજોની મુલાકાત લઈને ભૌતિક તેમજ બૌદ્ધિક ક્ષમતાઓનું એસસમેન્ટ કર્યું હતું. વિદ્યાર્થીઓ. પૂર્વ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વહીવટી સ્ટાફ, સિન્ડીકેટ સદસ્યો વિગેરેની સાથે પરામર્શ પણ આ ટીમે કર્યો હતો. ટીમને ઘણી બાબતે હકારાત્મક અને ઘણી બાબતો નકારાત્મક પણ લાગી હતી અને નકારાત્મક બાબતો અંગે તેમણે સતાધીશોની સાથે બેઠકમાં ચર્ચા વિચારણાં કરીને સજેશનો પણ આપ્યા હતા. નેકની ટીમ પોતાનો ગોપનીય રિપોર્ટ આપીને પરત ગયા પછી સતત જાત જાતની અટકળો ચાલતી હતી. એક્રેડીશનમાં ગ્રેડેશન વધશે કે કેમ ? એ ગ્રેડ માટે ૦.૭ પોઈન્ટની જરૃરીયાત હતી જેના સુધી યુનિર્વિસટી માટે ભણામણ થશે કે કેમ ?. આવી અટકળો વચ્ચે આજે પરિણામ યુનિર્વિસટીની તરફેણમાં જાહેર થયું છે. જેમાં ૦.૧૨ પોઈન્ટનો વધારો કરાતા ગ્રેડ પોઈન્ટ એવરેજ ૩.૦૫ થતાં સૌરાષ્ટ્ યુનિર્વિસટી રાજ્યની પ્રથમ એ ગ્રેડ ધરાવતી સંસ્થા બની છે. કુલપતિ ડો. મહેન્દ્ર પાડલીયાએ જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસો કામ આવ્યા છે અને આ સફળતા માટે અમે આવતીકાલે સામુહિક પ્રાર્થના કરવાના છીએ. હજુ વધારે સારૃ શું થઈ શકે તે દિશામાં વિચારણાં પણ કરીશું.
એ ગ્રેડેશનનને કારણે થનારા ફાયદા
* સેન્ટ્રલ ફોર એક્સલન્સ માટે અરજી થઈ શકશે.
* રૃ,૩૦૦ કરોડ જેવું ભંડોળ મેળવવામાં સરળતા.
* ટીચીંગ ફેકલ્ટીઓ વધારી શકાશે.
* વિદ્યાર્થીઓને વિદેશ જવામાં ડિગ્રી ઉપયોગી બનશે.
* રાજય સરકાર પણ વધારાની ગ્રાંટ ફાળવી શકશે.
* રાષ્ટ્રીયસ્તરે નામના વધતા એફીલીએશન વધશે.
૨૦૦૯ અને ૨૦૧૪ માં ગ્રેડેશન સુધર્યા
રાજકોટ ઃ ૨૦૦૨માં પ્રથમ વખત ગ્રેડેશન થતા તેમાં ૪ માર્ક મળ્યા હતા. આ માર્ક સિસ્ટમ ૨૦૦૯માં બદલાઈ હતી અને ત્યાર બાદ બીજો રાઉન્ડ આવતા તેમાં ગ્રેડેશન સિસ્ટમ લાગુ થઈ હતી. તે વખતે ૨.૯૩ ગુણ સાથે સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને રાજ્યમાં પ્રથમ સ્થાન મળ્યું હતું. હવે ૨૦૧૪ માં ત્રીજી વખત એક્રેડીએશન થતાં તેમાં ફરી ૦.૧૨ ગુણ વધતા કુલ ગુણ ૩.૦૫ થતાં એ ગ્રેડ મળ્યો આજે જાહેર કરાયો છે અને ફરી યુનિવર્સટી રાજ્યમાં ટોચના સ્થાને આવી છે. એ ગ્રેડ મેળવનાર ગુજરાતની પ્રથમ યુનિર્વિસટી તરીકે સૌરાષ્ટ્ર યુનિર્વિસટી જાહેર થઈ છે.
સ્ટેટની સેન્ટ્રલ યુનિ. તરીકે મળી શકે છે સ્થાન
રાજકોટ ઃ સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને જે રીતે એ ગ્રેડેશન મળ્યું છે તેના ઉપરથી સરકાર તેને સ્ટેટની કેન્દ્રીય યુનિર્વિસટી તરીકે દરજ્જો આપતી દરખાસ્ત કરી શકે છે. આજે ગુજરાતમાં એક પણ સેન્ટ્રલ યુનિર્વિસટી નથી અને હવે જ્યારે અન્ય યુનિર્વિસટી કરતા સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને ઉચ્ચ ગ્રેડેશન મળ્યુ છે ત્યારે આ નવો દરજ્જો પણ મળી શકે તેમ છે.
વિજ્ઞાાન ભવનના સંશોધનો કામ કરી ગયાં
રાજકોટ ઃ ઉચ્ચ ગ્રેડેશન માટે સૌરાષ્ટ્ર યુનિ.ના રસાયણશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાાન, ફાર્મસી અને બાયો સાયન્સ ભવનના નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના જે સંશોધનો થયા છે તેની નેકની ટીમ ઉપર ખુબ સારી અસર પડી હતી. એસસમેન્ટ સુધારણામાં તે ઉપયોગી સાબિત થયા હતા.

kanya kelavani arthik sahay

News Upate




 


Insentive to Girls Scheme